Abtak Media Google News

ટી મરર્ચન્ટ એસોસીએશન દ્વારા રૂ.૨,૫૦,૦૦૦/- અર્પણ

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં શહેરના અધિક કલેકટર પરીમલ પંડયાએ મુલાકાત લીધી હતી. પાંજરાપોળનાં ટ્રસ્ટીગણ દ્વારા તેમને રાજકોટ મહાજનની પાંજરાપોળ બતાવવામાં આવતા ખુબ જ પ્રભાવિત થઈ પાંજરાપોળ જીવદયા પ્રવૃતિઓને બિરદાવવામાં આવેલ હતી. આ સાથોસાથ રાજકોટ ટી મરચન્ટ એસોસીએશનનાં હોદેદારો સર્વ હેમલભાઈ, જીતુભાઈ ચાવાળા, અરવિંદભાઈ બચ્છા, બૈજુભાઈ રૂપારેલીયા, સુરેશભાઈ સંઘવી દ્વારા પાંજરાપોળની મુલાકાત લઈ ગૌમાતાઓને ૨,૫૦,૦૦૦/-નું દાન અર્પણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત રાજકોટ જૈન તપ સંઘ, પંચવટી મુર્તીપૂજક જૈન સંઘ ૧,૫૧,૦૦૦/- ફલોર મીલ એસોસીએશન, બાબુભાઈ પ્રા.લી.નાં ગોરધનભાઈ ધરમસીભાઈ લુણાગરીયાનાં રૂ.૧,૧૧,૦૦૦/- પણ સારું અનુદાન કરી અનુગ્રહિત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.