Abtak Media Google News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સોમવારે IPLમાં લો સ્કોરિંગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું પરંતુ RCBની જીત કરતાં વધુ મોટા સમાચાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની તકરારના છે. 10 વર્ષ પહેલાના તેમના સામ-સામે જગડાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ફરી એક વાર બન્ને મેચ બાદ ઝઘડ્યા હતા.

Advertisement

લખનૌ અને બેંગ્લોર વચ્ચેની મેચ ખતમ થયા બાદ કોહલી અને ગંભીર વચ્ચેની લડાઈ શરૂ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું, જેને જોઈને બાકીના ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.

કોહલી અને ગંભીરને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. અને આની સજા તરીકે તેની મેચ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે. બંનેને લખનઉમાં રમાયેલી મેચની ફી મળી ન હતી. સજા તરીકે તેની મેચ ફીમાં 100 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.