Abtak Media Google News

સમુહ ભોજનનું પણ આયોજન: ટ્રસ્ટના અગ્રણીઓ અબતકની મુલાકાતે

બૌઘ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે સવારે૮ કલાકે બૌઘ્ધી સતવ ડો. આંબેડકર બોઘ્ધ વિહાર, કાલાવડ રોડ, કણકોટનાં પાટીયા પાસે આદર્શ નિવાસી શાળાની  બાજુમાં સર્વજ્ઞાતિ યુવક-યુવતિ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિગત આપવા ગૌતમ ચક્રવતી, દેવશીભાઇ દાફડા, શાંતાબેન મકવાણા, નરેન્દ્રભાઇ ચાવડા, બીજલભાઇ, પ્રેમજીભાઇ ચંદ્રપાલ, દિનુભાઇ માલધારી, વલ્લભભાઇ સગપરીયા અને ભુપતસિંહ ઝાલા સહીતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સર્વજ્ઞાતિ યુવક-યુવતિ પસંદગી મેળા દરમિયાન બપોરે ૧૨.૩૦ કલાકે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એસી.સી. એસ.ટી. સેલ પી.બી. ગોદીયા, અનિલ પ્રથમ, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, ઇન્કમટેકસ જોઇન્ટ કમિશ્નર અરવિંદ સોનટકે , મનસુખ સાગઠીયા, જે.એસ. સોનારા, એ.એસ. પરમાર, પ્રવિણભાઇ મકવાણા, કિશન પરમાર સહીતના ઉ૫સ્થિત રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.