Abtak Media Google News

રોટલી દાજી જાય તે પહેલાં પલટાવવી જરૂરી

ઠાકરેમાં રાજકીય કૌશલ્યનો અભાવ હતો, એટલે જ તેઓ નિષ્ફળ રહ્યા : પવારની આત્મકથામાં વર્તમાન રાજકારણને લઈને અનેક ધડાકા

ઉદ્ધવે જ શિવસેનાને ડુબાડી છે. તેઓ શિવસેનાની અંદરના મતભેદને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા છે.  તેમણે કોઈપણ સંઘર્ષ વિના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું છે.

Advertisement

પવારે તેમની આત્મકથા ‘લોક માજે સંગાતિ…’ ની સુધારેલી આવૃત્તિમાં જણાવ્યું હતું કે ઠાકરેમાં એવી રાજકીય કુશળતાનો અભાવ છે જે મુખ્ય પ્રધાન માટે જરૂરી છે.  આ પુસ્તક મંગળવારના રોજ વિમોચન કરવામાં આવ્યું હતું.

પવારે તેમના પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે મહા વિકાસ અઘાડીની રચના માત્ર “પાવર ગેમ” ન હતી, પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ હતો કે કોઈક રીતે અન્યના મહત્વને ખતમ કરવાનો.  તેમણે કહ્યું કે એવી આશંકા હતી કે એમવીએ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ “અમે ધાર્યું નહોતું કે ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન બનવાને કારણે શિવસેનામાં તોફાન આવશે.”

શિવસેના નેતૃત્વ આ અસંતોષને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. રાજીનામું આપ્યું, જેના કારણે એમવીએ સત્તાથી બહાર થઈ ગયું. તેમણે કહ્યું કે ઠાકરેની તબિયત તેમના માટે અવરોધ બની ગઈ છે.  એનસીપીના નેતાએ કહ્યું કે મુખ્ય પ્રધાનને રાજકીય કુશળતાની જરૂર છે અને રાજકીય ગતિવિધિઓથી સંપૂર્ણપણે વાકેફ હોવા જોઈએ.  ઠાકરેની બિનઅનુભવીતાને દોષી ઠેરવતા તેમણે કહ્યું, અમને બધાને લાગ્યું કે આ વસ્તુઓનો અભાવ છે.

પવારે લખ્યું કે મધ્યમ વર્ગને કોવિડ-19 રોગચાળા દરમિયાન ફેસબુક લાઇવ દ્વારા લોકો સાથે ઠાકરેની વાતચીત ગમતી હતી, પરંતુ તે સમજવું મુશ્કેલ હતું કે તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન માત્ર બે વાર જ સરકારના મુખ્યાલય – મંત્રાલયની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે શરદ પવારે એનસીપીનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત બાદ પાર્ટીમાં તેમને મનાવવાના પ્રયત્નોને વેગ મળ્યો છે. એનસીપી નેતા અને તેમના ભત્રીજા અજિત પવારે કહ્યું કે શરદ પવારે કહ્યું કે તે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. તેમણે આ માટે બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે. શરદ પવારે યશવંતરાય ચવ્હાણ પ્રતિષ્ઠાનમાં પોતાની આત્મકથાના વિમોચનના અવસરે અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હતી. પવારે કહ્યું, “મેં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદને છોડવાનો નિર્ણય લીધો છે.” સાથે જ ચેમણે આગામી રણનીતિ માટે વરિષ્ઠ નેતાઓની પેનલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.