Abtak Media Google News

મામલતદાર દ્વારા બન્ને ગોડાઉન સીલ, નમૂના તપાસમાં મોકલાયા 4916 કિલો ચોખા અને 1989 કિલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળ્યો

અમરેલીમાં બે ગોડાઉનમાં સરકાર દ્વારા સસ્તાની દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો ઘઉં તથા ચોખાનો જથ્થો હોવાની આશંકા સાથે અમરેલી મામલતદાર ની ટીમ દ્વારા બંને ગોડાઉન અને સીલ કરીને રૂપિયા 5.5 લાખના મુદ્દામાલ સાથે  ઘઉં અને ચોખાનો જથ્થો ચીજ કરીને બંને ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો આપતા અમરેલી શહેરના ઇન્ચાર્જ મામલતદાર હિરેન મકાણીએ જણાવ્યું કે, અમરેલી શહેર પોલીસ દ્વારા મામલતદારને શહેરની હદમાં આવશ્યક ચીજ વસ્તુઓ અનાજ અને ચોખા નો જથ્થો શંકાસ્પદ રીતે મળી આવ્યા ની જાણ કરવામાં આવી હતી જેના આધારે અમરેલીમાં ડુબાણીયા પા , બબુડા પીરની દરગાહ સામે અને તેના પાછળના  વિસ્તારમાં આવેલ એમ બે ગોડાઉનમાં ભારત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં ગરીબો માટે ફાળવવામાં આવતો ઘઉં તથા ચોખાનો જથ્થો મેળવીને તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અમરેલી મામલતદારની ટીમ દ્વારા દરોડો પાડીને ચકાસણી કરવામાં આવી હતી.

સમીર આમદભાઈ બિલખીયા અને કયાઝ ફારુકભાઈ રાઠોડના કબજામાંથી 4916 કિલો ચોખા અને 1989 કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો સાથે ચાર વાહન મળીને કુલ  કિંમત રૂપિયા પાંચ લાખ પાંચ હજાર 551 રૂપિયાના મુદ્દામાલ સાથે અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે બંને બિલ્ડીંગ ને સરકારી સિલ મારી બંધ કરી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ માટે અનાજના નમૂનાને ચકાસણી માટે મોકલાયા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.