Abtak Media Google News

અમૂલ ડેરીની ચેરમેન અને વાઈસ ચેરમેની ચૂંટણી 26મી જુલાઈના રોજ યોજાઈ હતી. જેમાં રામસિંહ પરમાર ચેરમેન પદે જ્યારે રાજેન્દ્રસિંહ પરમાર વાઈસ ચેરમેન પદે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઇને નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી અમૂલ ડેરીમાં પણ ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ભાજપના જ ઉમેદવારો હશે, જોકે વાઈસ ચેરમેન પદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઈ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.