Abtak Media Google News

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થઈ ભારે રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

પાણીની ભારે માત્રામાં આવક થતાં છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો છે. હવે ડેમની જળસપાટી 127.82 મીટરે પહોંચી છે. ગઇકાલે ડેમની જળસપાટી 127.36 મીટરે હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.