Abtak Media Google News

સાયલા રાજ સૌભાગ આશ્રમ ખાતે તા.૧૯ ના ધીરગુરુ દેવ પધારતા બપોરે સત્સંગ સભામાં રાજકોટના સમસ્ત સંઘોના પ્રમુખો, સંઘ સેવકોએ હાજરી આપી હતી. બ્રહ્મનિષ્ઠ દિપકભાઇએ સ્વાગત કરતા જણાવેલ કે પૂ. ગુરુદેવનો અવારનવાર લાભ મળે તેવી વિનંતી છે. બૃહદ રાજકોટના સંઘવતી ઇશ્વરભાઇ દોશીએ આશ્રમના ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કરેલ. પ્રવીણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠએ વિહાર સુખસાતા પૃચ્છા તેમજ રાજકોટના દરેક ઉ૫ાશ્રયની સ્પર્શના માટે વિનંતી કરેલ હરેશભાઇ વોરાએ ૨૯/૧૨ ના શનિવારે મુમુક્ષુ મોનાલીબેન ના બૃહદ રાજકોટના સંઘોવતી આયોજીત સન્માન પ્રસંગે સરદારનગર ઉ૫સ્થિત રહેવા અનુરોધ કરેલ.

Advertisement

પૂ. ગુરુદેવ રાગદ્રેષની મહંતા, કષાયની ઉપશાંતિ માટે સમજણ ઉપર ભાર મૂકયો હતો. આત્માનું પ્રેક્ષા કરવા માટે જ્ઞાન જરુરી છે. જ્ઞાનમાર્ગ પ્રગતિ કરવા જણાવેલ.

પૂ. ધીરગુરુદેવ કાલે મહાવીર પુરુમ પધારશે. રવિવારે રાજકોટ વિરાણી પૌષધશાળા અને સોમવારે રતિભાઇ જેચંદ દોશી ના નિવાસે જયદીપ માં અને મંગળવારે ઇન્દ્રપ્રસ્થનગર મહેતા ઉપાશ્રયે પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.