Abtak Media Google News

ચોટીલાથી દિકરીનું અપહરણ થયાને ૬૦ દિવસ વિત્યા છતા કોઇ ભાળ ન મળી ત્વરીત કાર્યવાહીની માંગ

ચોટીલામાં રધુવંશી સમાજની દિકરીનું લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી દ્વારા અપહરણ કરવામાં આવ્યું તેને ૬૦ દિવસથી વધુ સમય વિત્યો હોવા છતાં સ્થાનીક પોલીસ દિકરીનીકોઇ ભાળ મેળવી શકી નથી. ત્યારે આ મામલે ત્વરીત કાર્યવાહી કરવા સમસ્ત લોહાણા મહાજન દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું હતું કે મુકેશભાઇ મનહરલાલ ખખ્ખર રહે. ચોટીલાની દીકરી નીધીબેનનું ગત તા. ૧૧-૮ ના ચોટીલા શહેરમાં અપહરણ થયેલું છે.

આ દીકરીનું જેને અપહરણ કરેલ છે તે શખ્સ હાલ જેલમાંથી પેરોલ ઉપર છુટેલ કેદી ધવલ ત્રિવેદી છે આ શખ્સ આઇ.પી.સી. ની કલમ ૩૬૬ અને ૩૭૬ ના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે આ શાલીર ગુન્હેગારએ પેરોલ ઉપર છુટી ચોટીલામાં તાજેતરમાં ટયુશન કલાસી ચાલુ કરેલ છે. દસ દિવસમાં આ દિકરીને ભોળવી લલચાવી પોતાની જાળમાં  ફસાવી અપહરણ કરી ભાગી છુટેલ છે.

આ ધવલ ત્રિવેદી હવસખોર અને વિકૃત માનસીકતા વાળો ગુજરાતમાં નામચીન ગુન્હેગાર છે તેની અગાઉ છ થી સાત નાની મોટી દીકરીઓને પોતાની જાળમાં ફસાવેલ છે.

આ સમાજની આ દીકરીનું છેલ્લા ૬૦ દિવસથી અપહરણ થયું હોવાછતાં ચોટીલા સ્થાનીક પોલીસ તંત્ર કોઇપણ જાતની ભાળ મેળવી શકેલ નથી. તો આ મામલે તાકીેદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.