વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી જે કૃષ્ણપરા અને સુરગપરા વિસ્તારને જોડતા સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો અને લોકોની ભીડ સ્નેહલપુલ પર થવા લાગી હતી લોકોની આ ભીડમાં આ વ્યક્તિ કોણ છે કયાનો છે તેવા સવાલો થઈ રહયા હતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે અહીં એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ દેખાઈ રહ્યો છે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા લોકોની ઉમટેલી ભીડને કોરોના મહામારીને ધ્યાને લઈને ભીડને હળવી કરવામાં આવી ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો આ મૃતદેહ વડીયાનો રહેવાસી વ્યક્તિ મુખ્ય બજારમાં દુકાન ધારક જ જણાઈ આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ અને કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે આ સીધોસાદો વ્યક્તિએ પોતાની સાઇકલ પુલની સાઈડમાં મૂકીને બેકારીથી કંટાળીને પગલું ભર્યું હશેની લોકોમાં ચર્ચાઓ દુ:ખ સાથે જણાઈ જણાઈ આવી હતી…
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત