Abtak Media Google News

હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું સોમનાથ

પ્રથમ જ્યોતિર્લંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતી માસિક શિવરાત્રી માં ભાગ લેવા સેંડકો ભાવિકો સોમનાથ આવી પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, કલકતા ના આદ્યશક્તિ પીઠના મહંત  સંતાનંદ પુરિજી મહારાજ સહિત મહાનુભાવો દ્વારા જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ દ્રવ્યો અર્પણ કરી મહાપૂજા કરવામાં આવી હતી.

સાથે મધ્યરાત્રીએ યોજવામાં આવતી મહાઆરતીમાં ભાગ લેવા અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે જ્યોતિર્લિંગ તીર્થ ગુંજી ઉઠ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.