Abtak Media Google News

હડાળા ગામમાં પતિએ પત્નીને માર માર્યો: ચુનારાવાડ ચોકમાં યુવાનને લમધાર્યો

શહેરમાં આનંદનગર ક્વાર્ટરમાં મકાન ખાલી કરવાનું કહેતા માલિક ઉપર ભાડુઆત સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હડાળા ગામમાં પતિએ પત્નીને માર માર્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આનંદનગર ક્વાર્ટરમાં રહેતા ઇમરાનભાઈ ઓસમાણ ભાઈ પઠાણ નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ભાડુઆત નૌસાદ રાવમા અને ટાઈગર સંધિ સહિતના સાત જેટલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા ઈમરાન પઠાણને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર નૌસાદ રાવમા ઇમરાન પઠાણના મકાનમાં ભાડે રહે છે. મકાન ખાલી કરવાનું કહેતા હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બનાવમાં હડાળા ગામે રહેતી હમીદાબેન યાસીનભાઈ બાટવા નામની 30 વર્ષની પરિણીતા સાથે તેના પતિએ ઝઘડો કરી માર્યો હતો.

દૂધની ડેરી પાસે રહેતો જોયબ હનીફભાઈ પરેજા (ઉ.વ.33) ચુનારાવાડ ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ માર માર માર્યો હતો.નાણાવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા દિનેશ દેસુરભાઈ વાઘેલા (ઉ.વ.40) રૈયાધાર દશામાતાના મંદિર પાસે હતો ત્યારે મેરામભાઇએ લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ મંછાનગરમાં રહેતા સંજય ભનુભાઈ ચાપસીયા (ઉ.વ.30) સાથે ભગીબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતા સહિત ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.