Abtak Media Google News

જન ક્લ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા તથા જીનીયસ ફાઉન્ડેશનના ફાઉન્ડર , પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા અમદાવાદ અને મુંબઈ ખાતે છઠ્ઠો અને સાતમો જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ અંતર્ગત લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પાંચ વ્યક્તિઓને એનાયત કરવામાં આવેલ હતો.

જેમાં પંડિત આર . બી . નાયર , પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ , શામજીભાઈ પટેલ , ઉમેશ મહેતા , મંજુલાબેન દેત્રોજા નો સમાવેશ થયેલ છે . જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ નો લક્ષ્ય ખાસ કરીને કલાકારો , સમાજસેવકો , અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરી દુનિયામાં અલગ ઓળખ આપવાનો છે . ગુજરાતમાંથી પાંચ વ્યક્તિઓને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળેલ તેમાં ગુજરાત – રાજકોટના જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન , ઉમેશ મહેતાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.