Abtak Media Google News

પિતાએ ગાય દોવા બાબતે ઠપકો આપતાં જીવન ટૂંકાવ્યું: પરિવારમાં અરેરાટી

બામણબોર ખાતે રહેતી તરુણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રીને લાગી આવતા જીવન ટૂંકાવ્યું હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના છેવાડે આવેલા બામણબોર ગામે રહેતી નેહા ભુપતભાઈ કણસાગરા નામની 16 વર્ષની તરુણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસે તરૂણીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ નેહાના પિતા ભુપતભાઈ ગાય દોવા બાબતે ઠપકો આપતાં તેણીને લાગી આવ્યું હતું. જેના કારણે નેહાએ ગઇ કાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.