Abtak Media Google News

અમરેલી જીલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા સન્માન કરી શુભકામના પાઠવી

અમરેલી ખાતે તા. ૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ શ્રી મહાજન પાર્ટી પ્લોટમાં શ્રી અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા દીપોત્સવ  ૨૦૧૮ પૂર્વે યોજાયેલ સ્નેહમિલનમાં સર્જક સમન્વય પુસ્તકમાં સમાવિષ્ટ પ્રખર તેમજ નવોદિત કવિ અને લેખકોનું દિવાળી ભેટ સ્વરૂપે ગુર્જર સાહિત્ય ભવન દ્વારા સંપાદિત અંદાજીત રૂ. ૬૧૦૦નાં પુસ્તકોનો સેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. જેમાં ભેરાઈ પ્રાથમિક શાળાનાં શિક્ષક અને નવોદિત કવિ તેમજ લેખકશ્રી કચીયા ઘનશ્યામભાઈનું પણ પુસ્તક સેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.

Advertisement

આ દિવ્ય અને ભવ્ય સન્માન સમારોહમાં શ્રી અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના સંયોજકશ્રી કેતનભાઈ જોષી, ખજાનચી ઉમેશભાઈ જોષી, પ્રેષકશ્રી પરેશભાઈ મેહતા અને પ્રમુખશ્રી ડો. પ્રતાપભાઈ પંડ્યાની હાજરીએ સર્વ સર્જકોને લાગણી અને હુંફનું વાતાવરણ પૂરું પાડ્યું હતું.

આ હર્ષોત્સવની અને આનંદમય લાગણીની ભેટ આપવા બદલ ભેરાઈનાં શિક્ષકશ્રી કચીયા ઘનશ્યામભાઈ એલ. શ્રી અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારનો હદયથી આભાર વ્યક્ત કરી સાહિત્ય સર્જક પરિવારના તમામ સભ્યો તથા તમામ સાહિત્ય સર્જકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.