Abtak Media Google News

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના સહયોગથી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘની પાવન ધરા પર ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તથા રાષ્ટ્રસંત યુગદિવાકર, પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તથા પૂ.સતીવૃંદ આદી ઠ.૭૫નું સામુહિક ચાતુર્માસ અનેકવિધ ધર્માનુષ્ઠાન સાથે સંપન્ન થઈ રહ્યું છે. સૌ ભાવિકો પૂ.ગુરુભગવંતોના જ્ઞાન-દર્શન-વાણીનો લાભ મેળવી ધન્યતા અનુભવે છે.

વિશેષ આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શનાર્થે પધાર્યા હતા અને તેમના જ્ઞાન-દર્શનનો લાભ લઈ અહોભાવ વ્યકત કર્યો હતો. આ અવસરે રાજકોટ શહેર-ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, માધવભાઈ દવે તથા ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ અને જૈન અગ્રણી સુજીતભાઈ ઉદાણી વિગેરે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.