Abtak Media Google News

તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે જીતનારા 80 ટકા સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે કમલમ ખાતે ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજેતાઓના સન્માન માટે સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને જીતનાર સરપંચોને અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.