Abtak Media Google News

જાફરાબાદના ભટ્ટવદર ગામ નજીક બનેલા બનાવની ભારે ગમગીની

રાજુલા તાલુકાના રહેવાસી સગા સાળા બનેવીના માર્ગ અકસ્માતમાં મોત થતા ઘેરો શોક વ્યાપી જવા પામી હતી બંનેના મૃતદેહો રાજુલા હોસ્પિટલ લવાયા હતા

Advertisement

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના ધૂળિયા આગરીયાના રહેવાસી જેરામભાઈ ડાહ્યાભાઈ કલસરિયા ઉવ ૪૫ અને શિશભાઈ મથુરભાઈ જીંજાળા ઉવ ૫૦ રહેવાસી વડલી બંને ભેંસ જોવા માટે નાગેશ્રી તરફ જઈ રહ્યા હતા જેમાં ભટ્ટવદર નજીક ટ્રક ન જી એ ૨૫ ૯૩૯૩ સાથે બાઈક નં જી જે ૧૪ ૯૮૬૩ સાથે અથડાતા બંનેના ઘટના સ્થળે મોત થયા હતા જેને પીએમ માટે રાજુલા હોસ્પિટલ લાવ્યા હતા વધુ તપાસ પીએસઆઇ રાણા તપાસ ચલાવી રહ્યા છે

આ હાઇવે પર આડેધડ માટી પડી રહી છે આથી આ અકસ્માત થયો છે ત્યારે તાકીદે આ માટી હટાવવા માંગણી ઉઠવા પામી છે પાંચાલી આહીર સમાજના આગેવાનોના માર્ગ અકસ્માતમાં મોત થવાથી  બળવંતભાઈ લાડુમોર ડો હિતેશ હડિયા સહિતનાએ શોક વ્યક્ત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.