Abtak Media Google News

LRD ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાનો મામલે સૌથી મોટા સમાચાર સામે આવી  રહ્યા છે. હાલ જે LRD ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં  વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે તેનું કારણ દર્શાવતા માહિતી આપવામાં આવેલ  છે કે એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટની નથી જોગવાઈ જેથી લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી થઇ રહી છે. એકથી વધુ સંવર્ગની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ આપવામાં નથી  આવતું કારણ કે 2016-17ની ભરતી દરમિયાન આ નિયમ ન હતો. 1-08-2018ના પરીપત્રથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો જે કારણે ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ બહાર પડશે ચાલુ ભરતીમાં કોઈ વેઈટીંગ લિસ્ટ  બહાર પાડવામાં નહીં આવશે.

સરકારનો નિયમ છે કે જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવામાં આવે . લોકરક્ષક ભરતીમાં એકથી વધુ  સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ અમલમાં ન હતો.

મહત્વની માહિતી છે કે , વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે  ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓએ  ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેઆ મુદે  ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી  20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવેલ  હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી ઉદ્ભવી હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં.

PSIની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી  LRD ની ભરતી થશે. PSIની ભરતી જાહેર થયા બાદ LRDનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. LRDમાં બેઠકો ખાલી ન રહે તે માટે તકેદારી રાખવામાં આવશે.  અનેક ઉમેદવારોએ PSI-LRD બંનેની પરીક્ષા આપી છે.જેમાં તેમણે જણાવ્યું કે, 1200 જેટલી વાંધા અરજીઓ મળેલ  હતી. 27 એપ્રિલે ફાઇનલ આન્સર કી મુકવામાં આવેલ  હતી. ફાઇનલ આન્સર કી મુક્યા બાદ વાંધા અરજીઓ મળી હતી. 27 એપ્રિલે મુકાયેલી આન્સર કીમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. ફાઇનલ આન્સર કીના આધારે માર્કસ મુકવામાં આવશે. રીચેકિંગ માટે 15 દિવસ સુધી અરજી કરી શકાશે. 22 મે સુધી રી ચેકિંગ માટે અરજી કરી શકાશે. 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી અરજી કરવાની રહેશે. પાઠ્ય પુસ્તકોના આધારે ઉમેદવારોએ જવાબ આપ્યા એવી રજૂઆત હતી. ઉમેદવારોએ જવાબના જુદા-જુદા સ્ત્રોતનો ઉપયોગ કર્યો હતો.

લોક રક્ષકની ભરતીમાં 10459 માંથી 1 હજાર ઉમેદવારોની જગ્યા પડેલ રહે . તેથી જે ઉમેદવારો લાંબા સમયથી ભરતીની તૈયારી કરી રહ્યા છે, જો આવું થાય તો તે ભરતીથી વંચિત ન રહી જાય. તેથી હવે પીએસઆઇનું રિઝલ્ટ જાહેર થયા બાદ જ લોકરક્ષકનું રિઝલ્ટ જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.