Abtak Media Google News

જે.જે.કુંડલિયા કોલેજ ખાતે તાજેતરમાં નવરાત્રી પર્વ નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા માતાજીના આરાધના પર્વ‚પે ઉજવાતા નવરાત્રી પર્વમાં રાસ-ગરબાનો પ્રારંભ-મહાઆરતી લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળના ટ્રસ્ટી ડો.અલ્પનાબહેન ત્રિવેદીના હસ્તે કરાયો હતો.

સાથે સાથે કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષી, અધ્યાપક સ્મિતાબેન ઝાલા તેમજ અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રાસોત્સવ ભાગ લીધો હતો. આ રાસોત્સવમાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે જુદા-જુદા ઈનામો જાહેર કરાયા હતા.

તમામ ઈનામ લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષી, પ્રા.સ્મીતાબેન ઝાલાના હસ્તે એનાયત કરાયા હતા. સમગ્ર રાસોત્સવનું સંચાલન પ્રા.સોનલબહેન નેનાએ કર્યું હતું. તેમજ રાસોત્સવને સફળ બનાવવા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.