Abtak Media Google News

સાંઇરામ દવેનો હાસ્ય પ્રોગ્રામ સાથે વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરાશે

વેપાર-ઉઘોગની વરિષ્ઠ અને મુકત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના વિશાળ સભ્ય પરીવારનું સ્નેહ મિલન હાસ્ય કાર્યક્રમ અને સ્વરુચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્ર્રતિભાશાળીઓના સન્માન સમારંભ કાલે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃઘ્ધિ વધારવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ૫સ્થિત રહેશે.આ સ્નેહમીલન કાર્યક્રમમાં સુપ્રસિઘ્ધ હાસ્ય કલાકાર સાંઇરામ દવે સભ્ય પરીવારને હાસ્ય રસ પીરસી તરબોળ કરશે.

રાજકોટ ચેમ્બરના સભ્યોએ ખુબ જ ઉત્સાહ દાખવેલ છે.  અને આજ સુધીમાં બહોળી સંખ્યામાં સભ્યોએ પાસ મેળવેલ છે. જેથી જે સભ્યોને પોતાના પાસ મેળવવાના બાકી હોય તેઓએ તુરંત ચેમ્બરની ઓફીસેથી મેળવી લેવા તથા આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.