Abtak Media Google News

જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ: અનેક વિકાસના કામોનું લોકાર્પણ

સુરેન્દ્રનગરમાં ૭૨માં સ્વાતંત્ર પર્વની ઉજવણી થવાની હોય જેમાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપવાના છે. જેમાં અનેક પ્રકારનાં દેશભકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.3 15તા.૧૩મી ઓગષ્ટ રાત્રે ૮ કલાકે આનંદ ભવન ખાતે ભવ્ય લોકડાયરામાં માયાભાઈ આહિર અને કીર્તીદાન ગઢવી રમઝટ બોલાવશે ઉપરાંત બીજા દિવસે સવારે ૮.૩૦ કલાકે યુવા સંમેલન કાર્યક્રમ ત્યાર બાદ ૧૦.૩૦ કલાકે મહિલા સંમેલન કાર્યક્રમ, બપોરે ૨ કલાકે થાનગઢમાં રેલવે ઓવરબ્રીજનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

૧૫મી ઓગષ્ટે પોલીસ પરેડ જવાહર ગ્રાઉન્ડ ખાતે રાજય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.