Abtak Media Google News
મિત્ર અવવારુ જગ્યાએ કાર મૂકી ફરાર થઈ જતાં શંકાના દાયરામાં
હત્યા કે આત્મહત્યા? તે દિશામાં પોલીસને તપાસ હાથધરી: મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો

ચોટીલા આણંદપુર ચોકડી નજીક એક અલ્ટો કારમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય યુવાનના કારમાંથી બહાર કાઢી તેને ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. યુવાને આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.હાલ તે મૃતદેહ કેશોદના ડોક્ટરનો હોવાનું અને તેનું નામે નુરઅલી ખોજા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર ચોટીલા આણંદપુર ચોકડી નજીક એક અલ્ટો કારમાંથી દુર્ગધ આવતી હોવાથી ત્યાંના સ્થાનિક લોકોએ તે કારમાં તપાસતા તેને અંદરથી એક યુવાનની લાશ જોવા મળી હતી જેથી તેને ચોટીલા પોલીસને બના અંગેની જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તેને તપાસમાં કારમાં મૃતદેહ કેશોદના ડોક્ટરનો હોવાનું અને તેનું નામે નુરઅલી ખોજા હોવાનું જાણવા મળ્યું છે.

જેથી પોલીસે તે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યારે આ અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી છે કે તેને કારમાં આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછતાછ હાથ ધરી છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું ડોક્ટરનો મિત્ર જસુ ચુડાસમા રાત્રે તેને કારમાં સુવડાવી મુળી જતો રહ્યો હતો જેથી અનેક પ્રકારની શંકા સેવાઈ રહેતા પોલીસે તેની અટકાયત કરી તેની પૂછતાછધારી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.