Abtak Media Google News

કડક પગલાની ખાતરી આપતા જિલ્લા કલેકટર

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ર૯-૮-ર૦ર૦ ના જમીન પચાવી પાડવી તથા જમીન પચાવી પાડવા સંલગ્ન પ્રવૃત્તિઓને ડામવા માટે ’ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) ઓર્ડિનન્સ-ર૦ર૦’ બહાર પાડવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ સરકારી, જાહેર ક્ષેત્રની, ધાર્મિક સખાવતી સંસ્થાઓની, સ્થાનિક સંસ્થાઓની કે ખાનગી વ્યક્તિઓની માલિકીની જમીન પર અન્ય ઈસમો કે જેની કોઈ કાયદેસરની માલિકી ન હોય અથવા કાયદેસરના હક્કદાર ન હોય તેમ છતાં કાયદા વિરૃદ્ધનું આચરણ કરીને ધાકધમકી આપી કે દગાપૂર્વક કે બળજબરીપૂર્વક જમીનનો કબજો મેળવી કે, જમીન ઉપર બાંધકામની પ્રવૃત્તિ કરી, જમીન ગેરકાયદેસર રીતે ભાડે આપી, જમીનનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરવા જેવી પ્રવૃત્તિ કરનાર કે કોઈ મારફત કરાવનાર તમામ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જુથ, સંગઠન કે કંપની દ્વારા જમીન પચાવી પાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી અટકાવવાનો છે, તેમજ આવી પ્રવૃત્તિ કરનારને કાયદાનું ભાન કરાવવા ખાસ કોર્ટમાં કેસ ચલાવી છ માસની અંદર ન્યાય આપવા તેમજ જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરનારને ૧૦ થી ૧૪ વર્ષની સજા તથા દંડ થાય અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાના ભાગરૃપે આ ઓર્ડીનન્સ લાવવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં કોઈ ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય કે કોઈ વ્યક્તિ/સંસ્થાની કાયદેસર માલિકીની જમીન આવા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવેલ હોય તો તેવી વ્યક્તિ/સંસ્થાએ સંબંધિત મામલતદારની કચેરીમાં ૭ દિવસમાં લેખિત આધાર-પૂરાવા સાથે ફરિયાદ/અરજી કરવા જણાવવામાં આવ્યું છે. ફરિયાદની અરજી આવ્યેથી જરૃરી ચકાસણી કરી આવા ઈસમો સામે તાત્કાલિક પગલાં લઈ જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૃર જણાયે આવા ઈસમો સામે ’પાસા’ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભોગ બનનાર અથવા જાગૃત નાગરિકોએ ભયમુક્ત થઈને લેખિત આધાર-પૂરાવા સાથે સંબંધિત મામલતદારને ફરિયાદ/અરજી કરવા જિલ્લા કલેક્ટર જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.