જામનગરના કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ અંતર્ગત ૯ ગામોની યોજનાને બહાલી આપવામાં આવી હતી. જેમાં કાલાવડ તાલુકાના આણંદપર, સરાપાદર, નવાગામ, લાલપુર તાલુકાના ખાયડી (ભાગ-ર), જામજોધપુર તાલુકાના નંદાણા (ભાગ-ર), બાલવા (ભાગ-ર), જોડિયા તાલુકાના માવનું ગામ (ભાગ-ર, જામદૂધઈ (ભાગ-ર) અને બાલંભા (ભાગ-ર) ગામને માટે અંદાજિત કુલ રકમ ૧ર૯.૯૮ લાખની મંજુરી આપવામાં આવી હતી.જામનગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં હાલ સુધીમાં કુલ ૩૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં ૪૪ કાર્યકારી તાંત્રિક મંજુરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને રૃપિયા ૯૮પ.પ૮ લાખની વહીવટી મંજુરી અપાઈ હતી. આ યોજના અંતર્ગત કુલ ૪૮૦૧ નળજોડાણને પણ બહાલી આપવામાં આવી છે.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા માહિતી અધિકારી વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ