Abtak Media Google News

સેલવાસ સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નાગેન્દ્રસિંહ ખાસ હાજરી આપી

સેલવાસ નગર પરિષદ દ્વારા સેલવાસને સ્વચ્છ તેમજ સુંદર બનાવવા માટે સ્વચ્છતા જ સેવા છે આ વિષય પર સેલવાસના મીની બસ સ્ટેન્ડ, ટોકર ખાડા સેલવાસમાં સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમદાન અને સાફસફાઇનો માહોલ બનાવી સ્વચ્છતા પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું. આ નગર પરિષદના સ્વસ્થ્ય અધિકારી ડો. એસ. કુમાર નગર પરિષદના સ્વચ્છતા અધિકારી મેધા લાખાણી, સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સ્વચ્છતાના અગ્રણી સેલવાસના બ્રોડ એમ્બેસેડર નાગેદ્રસિંહ અને તેમની ટીમ દ્વારા સફા નિરીક્ષક મોનીટર અને અન્ય કર્મચારીઓ ઉ૫સ્થિત રહ્યા.

આ કાર્યક્રમમાં સ્વચ્છતાગ્રાહીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી. અને ૧ કલાક સુધી શ્રમદાન કર્યુ આ કાર્યક્રમમાં બધાએ મીનીબસ સ્ટેન્ડ, ટોકરખાડા ની આસપાસ  શ્રમદાન કર્યુ અને અનુરોધ કર્યો કે સ્છચ્છતા પખવાડીયામાં સૌથી કોઇ ભાગ લે અને અભિયાનને સફળ બનાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.