મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે ત્યારે આજનો દિવસ તેઓ પોતાના હોમટાઉનમાં ગાળવાના છે. અહીં તેઓ દિવસ દરમિયાન ભરચ્ચક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન આજે સવારે તેઓએ શિવાલયમાં ભગવાન શિવ સમક્ષ શિશ ઝુકાવીને જળાભિષેક કર્યો હતો. આ સાથે આજે અનેક પદાધિકારીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પીજીવીસીએલના એમ.ડી. ભાવીન પંડયા, મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની, એસપી બલરામ મીણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ગુલદસ્તા સો મુખ્યમંત્રી વિજયભાઈને શુભકામનાઓ પાઠવી હતી.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ