Abtak Media Google News

પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરના તરણેતરથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો રાજ્ય વ્યાપી આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યવ્યાપી પ્રારંભ પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરથી કરાવ્યો છે. જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ  તેમણે દર્શાવ્યો હતો. આ વર્ષે સમગ્ર રાજ્યમાં આ જળ અભિયાન લોક ભાગીદારી થી મિશન મોડ માં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિજય ભાઈ રૂપાણીએ આ અભિયાનથી ગુજરાતને સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે એમ પણ ઉમેર્યું હતું.Ca713Bdd D064 4211 8A6B D802276E6A41

Advertisement

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કુલ આશરે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦૦૯ લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે. જેનાથી આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે ૩૫૨૪ તળાવો/ચેકડેમો/જળાશયો ઉંડા ઉતારવા/ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

મનરેગા યોજના હેઠળ ૪૨૩૮ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે. રાજ્યમાં આશરે ૧૮૪ નવા તળાવો બનાવવાનુ આયોજન છે.  અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે ૭/૧૨માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામકરવાનું  આયોજન કરવામાં આવેલ છે.  હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના ૨૨૦ કામો તથા ચેકડેમ મરામતના ૧૧૦૪ કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છે. નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે ૧૭૦૦ કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ ૭૪૦ કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.9Bcf3Af8 E8Ea 4Fcd Ac25 562438D6E925

રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં  રેઇન વોટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ વગેરે મળીને કુલ ૬૫૧ કામો હાથ ધરવાનુ આયોજન છે. વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડી/ક્ધટુર ટ્રેન્ચ/ચેકડેમ રીપેરીંગ/ ચકડેમ ઉંડા કરવા વગેરે મળીને કુલ ૧૦૭૦ કામો  હાથ ધરવાનુ આયોજન છે. આ તમામ કામગીરી માટે આશરે ૫૦૦૦ થી વધુ જેસીબી/ હિટાચી/ પોકલેન તથા ૧૮૦૦૦ થી વધુ ટ્રેક્ટર/ ડમ્પરનો ઉપયોગ થનાર છે.

સુજલામ સુફલામ જળ અભિયાનથી જળ સંગ્રહમાં આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થામાં વધારો થશે. ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળનાર માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થશે.  પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે.

સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હલ થશે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે, ખેત ઉત્પાદનમાં વધારો થશે, પર્યાવરણમાં સુધારો થશે. પાણીનો બગાડ મહદઅંશે ઘટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.