Abtak Media Google News

ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ કાર મકાન સાથે અથડાઈ

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ નજીક આવેલા જામવાડી ગામે થાનગઢના કોલેજીયન યુવાને કાર પરનો કાબુ ગુમાવતા મકાનના દરવાજા સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે થાનગઢ પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢમાં મા‚તીનંદન સોસાયટીમાં રહેતા આશિષ મુકેશભાઈ સોલંકી નામનો ૨૨ વર્ષનો વણતર યુવાને ચોટીલાથી થાનગઢ તરફ પોતાની કાર લઈ જતો હતો. ત્યારે જામવાડી ગામે પહોચતા યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર મકાનના દરવાજા સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે થાનગઢ બાદ વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેની સારવાર કારગત નિવડે તે પહેલા જ મોત નિપજતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક અપરિણીત અને કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. થાનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.