Abtak Media Google News

બહુજન ક્રાંતિ મોર્ચાના માધ્યમી રાષ્ટ્રીય સંયોજકની આગેવાની હેઠળ પરિવર્તન યાત્રા નીકળેલ છે. છેલ્લા ઘણા સમયથી લોકશાહીના હૃદય સમાન ચૂંટણીમાં ઈવીએમ મશીનથી ચૂંટણી કરી તેમાં ગોટાળા થાય છે તેવી રજૂઆત સાથે બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા પરિવર્તન યાત્રા કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં ફરી રહેલ આ પરિવર્તન યાત્રામાં સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક નરેશ પરમારના નેતૃત્વ હેઠળ આવતીકાલે સવારે ૯ કલાકે ચોટીલાથી નીકળશે અને રાજકોટ અરવિંદભાઈ મણીયાર હોલે યાત્રા સમાપન થશે. તો આ તકે બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા આ યાત્રાનું સ્વાગત કરાશે અને આ ઈવીએમ ભાંડાફોડ પરિવર્તન યાત્રા અંતર્ગત સૌને જાગૃત કરાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.