Abtak Media Google News

સંતાનોના અભ્યાસનું બહાનુ આપી માત્ર રૂ. 4800 ના ભાડામાં બંગલામાં કરે છે જલ્સા

રાજ્યમાં પુર્વ મંત્રીઓ ધારાસભ્ય હોય તો અત્યાર સુધી ગાંધીનગર ખાતે આવેલ સદસ્ય નિવાસમાં રહેતા હતા પરંતુ  વિજયભાઈ રૂપાણી સરકારનાં  તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવેલ તેવા મંત્રીઓને કવાટર્સ લેવાનો ઈન્કાર કરતાં અથવા કવાટર્સમાં ફાવતું ન હોવાથી કે કવાટર્સ ગમતું ન હોવાથી કે અન્ય જરૂરીયાતો સરકારી ખર્ચે વિશેષ સુવિધા સંતોષવા માટે નાગરીકોના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે નિર્ણય કરીને ફાળવી દેવાયા છે

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપના પૂર્વ મંત્રીઓ નીતિનભાઈ પટેલ,  ભુપેન્દ્રસિંહ ચુડાસમા,  સૌરભભાઈ પટેલ, ગણપતસિંહ વસાવા, જયેશભાઈ રાદડિયા,  ઈશ્વરભાઈ પરમાર,  પ્રદિપસિંહ જાડેજા, પરસોત્તમભાઈ સોલંકી,  જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ,, વાસણભાઈ આહીર, વિભાવરીબેન દવે , રમણલાલ પાટકર  ધર્મેન્દ્રસિંહ જાડેજા,  કુંવરજીભાઈ બાવળીયા વગેરેને ” અને ” કક્ષાના બંગલાઓ (સરકારી આવાસો) ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને રાજ્ય સરકારની મંજૂરીથી માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓકટોબર-2021માં માર્ગ અને મકાન વિભાગના તા.31-5-2015ના ઠરાવ મુજબ આ બંગલાઓનું બજાર ભાડુ (માર્કેટ રેટ) દ્વારા રૂ.42,000 નક્કી થયેલ હોવા છતાં જુદાં-જુદાં- હુકમોથી આર્થિક ભાડા(ઈકોનોમી રેટ)ના મામુલી રૂ.4800ના ભાડાના દરથી પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી ફાળવવામાં આવ્યા છે.

રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ મંત્રીશ્રીઓને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે, સંતાનોના અભ્યાસ બગડે નહીં, અધ્ધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પુર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે, વાસ્તવમાં એકેય પુર્વ મંત્રીના સંતાનો ગાંધીનગરની શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી. તો આ ભાજપના પૂર્વ મંત્રીઓએ સંતાનોના અભ્યાસના બહાને સરકારી બંગલાઓ મેળવ્યા છે તે કયા પૂર્વ મંત્રીઓના કેટલા સંતાનો કઈ સરકારી શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો છે તે પણ જાહેર કરીને રાજ્યના સામાન્ય નાગરીકોને સરકારી શાળાઓમાં ભણતર માટે આકર્ષવા જોઈએ.

બીજી બાજુ રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે, મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી. સરકારી આવાસ ન મળવાના કારણે ફીકસ પગારના કર્મચારી પગાર જેટલું તો ભાડું ભરવા મજબુર બને છે. ગરીબોને રહેવા માટે પુરતા આવાસો બનાવવામાં આવતા નથી. ત્યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તુરંત આવાસ મળે તેવી વ્યવસ્થા અને ચિંતા કરવી જોઈએ. પ્રજા પર વેરાઓ નાંખીને ઉઘરાવેલા ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલા સરકારી બંગલાઓ મામુલી દરે શૈક્ષણિક સત્રના બહાના હેઠળ પુર્વ મંત્રીઓને ફાળવવામાં આવેલ છે તે પુર્વ મંત્રીઓના બાળકો/સંતાનો શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી. પ્રર્વતમાન શૈક્ષણિક સત્રનો લાભ આપીને મામુલી આર્થિક ભાડાના દરથી સરકારી બંગલાઓ ફાળવવામાં આવેલ તે શૈક્ષણિક સત્ર પણ પુરું થઈ ગયું છે, તો આ બંગલાઓ તાત્કાલિક ખાલી કરાવીને પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાનો વ્યય તાત્કાલિક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે, સાથોસાથ મંત્રીશ્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે તે પણ નીયમ મુજબ પરત લેવાય તે યોગ્ય કાર્યવાહી કરવા  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી, મુખ્યસચિવ, ગુજરાત રાજ્ય અને માર્ગ અને મકાન સચિવની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ પત્ર લખીને માંગ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.