Abtak Media Google News

જામનગરમાં ત્રીજા સમશાન મુદે કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ થી ધરણાં કરવામાં આવે છે આજે વિરોધ પક્ષના દેવશી આહીર સહિતના કોર્પોરેટરો એ આજે કમિશનર સમક્ષ લેખિત આવેદન આપવામાં આવ્યું હતું. આ લેખિત પત્ર માં જણાવ્યા અનુશાર જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે છેલ્લા બે વર્ષ થી સ્મશાન મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તેની કામગીરી શરૂ કરવામાં ન આવતા તત્રિદીવાસીય ધરણાં અને આજે કમિશનર સમક્ષ શા? માટે આ સમશાનની કામગીરી શરૂ કરવામાં આવતી નથી ??

Virodh Pax 3

આ વર્ષે કમિટી અને જનરલ બોર્ડની અંદર ત્રીજું સમશાન મંજૂર થયેલ છે પરંતુ કેમ કામગીરી કરવામાં આવતી નથી જામનગરના સમશાન માં લોકો ને ૧૦-૧૦ કલાક સુધી રાહ જોવી પડે છે ત્યારે લોકો ની મુસકેલિ માં પણ વધારો થાય છે મૃતકો ના પરિવાર જાણો પણ પરેશાન થાય છે, આ તકે વિરોધ પક્ષ ના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર જેનબબેન ખફી, દેવશી આહીર, દિગુભા જાડેજા, સહારા મકવાણા સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.