થોડા દિવસોમાં જે મકરસંક્રાંતિ નો તહેવાર આવતો હોય જેમાં પતંગ લોકો ચગાવી ને તહેવાર ઉજવતા હોય છે…પણ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરી ને તંત્ર સુધી વાત પહોંચાડવા માટે પતંગો માં લખાણો જેવાં કે ખેડૂતો ની આંખ માં છે પાણી તો વિમા કંપની ને છે લહાણી… ખેડૂતો થયાં પાયમાલ વિમા કંપની થઈ માલામાલ .. પાક વિમા યોજના એટલે ખેડૂતો ને કોણીએ ગોળ… જેવાં લખાણ પતંગો માં લખીને પતંગો ઉડાવવામાં આવી હતી… ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કર્યો : આગામી દિવસોમાં મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર આવતો હોય ત્યારે નાનાં મોટાં બધાં મકરસંક્રાંતિ ની પતંગો ચગાવી ને તહેવાર ઉજવતા હોય છે અને આખો દિવસ ધાબા ઉપર ચડી ને મજા પણ માણતા હોય પણ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં પતંગો માં લખાણો લખવામાં આવ્યા હતા જેમાં પાક વિમા યોજના એટલે ખેડૂતો ને કોણીએ ગોળ… ૭૨ કલાક મા ફોર્મ ભરાય છે તો ૭૨ કલાક સર્વે પણ કરાવો… ખેડૂતો ની આંખ મા પાણી તો વિમા કંપની ને લહાણી… ખેડૂતો થયાં પાયમાલ તો વિમા કંપની ઓ થઈ માલામાલ … જનતા બાગ બિસ્માર… રાડ રસ્તા ઓ લઈને ભેદભાવો.. પ્રાથમિક સુવિધા ઓથી વંચીત ધોરાજી ની જનતા.. ભાજપ કે કોંગ્રેસ પીસાઈ રહી છે ધોરાજી ની જનતા… જેવાં મુદ્દા ઓ નું પતંગ પર લખાણ કરીને પતંગો ચગાવવામાં આવી હતી અને તંત્ર સુધી વાત પહોંચાડવા માટે આજરોજ ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો