લાંબા સમયની ઇન્તેજારી બાદ નિર્માણ પામનાર નવી સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર દેશની અગ્રણી ક્ધસલ્ટન્ટ એજન્સીની ટીમ દ્વારા જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના બ્યુટિફિકેશન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના બ્યુટિફિકેશનની ડિઝાઇન, પ્લાનિંગ કરવાની કામગીરી દેશની અગ્રણી ક્ધસલ્ટન્ટ એજન્સી એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ એજન્સીને સોંપવામાં આવી છે. ત્યારે આ વિકાસ કામો કરવા માટે એજન્સીની ટીમ જૂનાગઢ આવી પહોંચી છે. વિવિધ એનગલ સાથે ડ્રોન કેમેરાની મદદથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેઓ પોતાનો રિપોર્ટ મનપામાં કમિશ્નરને સોંપશે. બાદમાં આ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરી અંતિમ મંજૂરી મેળવી નરસિંહ તળાવના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના વિકાસની કામગીરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના નરસિંહ મહેતા તળાવના બ્યુટી ફિક્શન કામગીરી માટે એજન્સીને ૧.૩૮ કરોડ રૂપિયાની ક્ધસલ્ટીંગ ફિ ચૂકવવામાં આવશે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા