Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સુવર્ણ યોજનામાં ‘દાદા’ અને ‘માતાજી’એ 200 કિલો સોનું આપી સહયોગ આપ્યો
Gujarat News

સુવર્ણ યોજનામાં ‘દાદા’ અને ‘માતાજી’એ 200 કિલો સોનું આપી સહયોગ આપ્યો

By ABTAK MEDIA29/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અંબાજી મંદિર 168 કિલો સોનુ જમા કરાવ્યું : રૂ. 120.6 કરોડની કિંમતનું સોનું  જમા કરાવ્યું છે.

ભારત દેશની વાત કરીએ તો સોનાની ખરીદીમાં તે વિશ્વમાં બીજા ક્રમાંક પર આવે છે. ગુજરાતના મંદિરો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મુદ્રીકરણ માટે સોનું જમા કરાવવામાં આગેવાની લઈ રહ્યા છે. બેન્કરોના અંદાજો દર્શાવે છે કે રાજ્યના મોટા મંદિરો દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ 200 કિલો સોનું જમા કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, ભારતીય પરિવારોમાં માત્ર 0. 22% સરપ્લસ ગોલ્ડ હોલ્ડિંગ યોજના હેઠળ મુદ્રીકરણ કરવામાં આવે છે.

બે મંદિરો – અંબાજી મંદિર અને સોમનાથ મંદિર – એ ટૂંકા ગાળામાં જીએમએસ હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોમાં 200 કિલો જેટલું સોનું જમા કરાવ્યું છે. વર્તમાન કિંમતો અનુસાર આ રકમ રૂ. 120.6 કરોડની કિંમતની ગોલ્ડ ડિપોઝિટ છે.

અમદાવાદ માર્કેટમાં સોનાનો ભાવ 60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ પર નજર કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે સરકાર મંદિરોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ દાન તરીકે એકત્ર કરાયેલું સોનું બેન્કોમાં જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આનાથી મિડિયમ ટર્મ ડિપોઝિટ માટે વાર્ષિક 2. 25 ટકા વ્યાજ મળે છે, જ્યારે લાંબા ગાળાની ડિપોઝિટ માટે વાર્ષિક 2. 50 ટકા વ્યાજ મળે છે. આ મંદિરો માટે ઘણું ફાયદાકારક છે કારણ કે તેઓ ચાલુ બજાર ભાવે સોનાને રિડીમ કરી શકે છે કારણ કે તેમની ડિપોઝિટો એકબાજુ પાકી જતી હોય છે અને વ્યાજ પણ મળતું જ હોય છે. ગુજરાતમાંથી જીએમએસ હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલે કે જેઓ મંદિર ટ્રસ્ટના બોર્ડમાં પણ છે તેમણે જણાવ્યું હતું કે મંદિરે પહેલાથી જ જીએમએસ હેઠળ ત્રણ તબક્કામાં 168 કિલો સોનું જમા કરાવ્યું છે. જેમાં બે તબક્કામાં 96કિલો અને 23કિલોનો સમાવેશ થાય છે. મંદિરના શિખરને શણગારવા માટે લગભગ 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિરમાં દાન રૂપે ઘણી જ્વેલરી આવે છે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિરનું સંચાલન કરે છે, તે ઘણીવાર ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સોનાના રૂપમાં દાન સ્વીકારે છે અને આવકવેરા કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેને અનુસરવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે મંદિરની દાનપેટીમાં પણ વારંવાર ઝવેરાતના રૂપમાં દાન તરીકે ઘણું સોનું આવે છે. સોમનાથ મંદિર કે જેણે મંદિરના સ્પાયર્સ પર સોનાનો ઢોળ ચઢાવવા માટે દાન દ્વારા સંચિત સોનાનો મોટાભાગે ઉપયોગ કર્યો છે, તેણે છ કિલો સોનું પણ જમા કરાવ્યું છે.

200kgGold AmbajiTemple featured GOLD gujarat SuvarnYojana
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઇંગ્લેન્ડની નબળી બોલિંગ યથાવત:પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવી 339 રન નોંધાવ્યા
Next Article સાહિત્ય સંજીવની છે જે જીવનમાં ઉર્જા-ચેતના ભરી દે છે: મુખ્યમંત્રી
ABTAK MEDIA
  • Website

Related Posts

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.