Abtak Media Google News

દાહોદ સમાચાર

ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક કાળીયા કોતરના વળાંક પાસે બોલેરો ગાડી તેમજ મોટરસાયકલ વચ્ચે  ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . જેમાં  એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને કાળ ભરખી ગયો તથા એકને ઈજા થઈ છે .

ગરબાડા તાલુકાના છરછોડા ગામના સિમોડા ભાભોર ફળિયાના 28 વર્ષીય પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર , તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર  ઉંમર વર્ષ 27  અને બે બાળકો બજાજ પલ્સર ગાડી પર સવાર થઈ થોડા થી જેસાવાડા તરફ જતા હતા તે સમયે રસ્તામાં ધાનપુર રોડ પર સામેથી પૂર ઝડપે આવી રહેલી  બોલેરો ગાડીના ચાલકે pulsar મોટર સાયકલને જોશભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર  માર્ગ અકસ્માતમાં પલ્સર ગાડી પર સવાર એક જ પરિવારના ચારેય સભ્યો હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ગંભીરી ઈજાઓ થઈ હતી.

જે પૈકી પરિવાર જનોના  ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી . જ્યારે આ માર્ગ અકસ્માતમાં માતા – પિતાનું છત્ર તેમજ વ્હાલસોયા ભાઈને ગુમાવનાર કમનસીબ સેજલને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરી હતી જ્યાં હાલ સેજલ જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે . આ બનાવની જાણ જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ રામી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્ગ
અકસ્માતમાં મરણ પામેલા એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહોને પીએમ અર્થે નજીકના દવાખાને મોકલવામાં આવ્યા હતા . જયારે અકસ્માત અન્વયે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

અભેસિંહ રાવલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.