Abtak Media Google News

નવા 227 કેસ નોંધાયા: માત્ર 4 દર્દીઓ વેન્ટીલેટર પર

 

કોરોનાના કેસમાં રવિવારે ઘટાડો નોંધાયો હતો. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 300 થી ઓછા નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. એકિટવ કેસનો આંક 1900 થી નીચે આવી ગયો છે.

રવિવારે કોરોનાના નવા 227 કેસ નોંધાયા હતા. જેની સામે 265 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એકિટવ કેસ 1900 થી નીચે પહોંચી ગયા છે. હાલ રાજયમાં 1879 એકિટવ કેસ છે જે પૈકી માત્ર ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે.ગઇકાલે રવિવારે અમદાવાદ કોર્પોરેશનમાં 95 કેસ, સુરત કોર્પોરેશનમાં 25 કેસ, વડોદરા કોર્પોરેશનમા: 25 કેસ, સાંબરકાંઠા જિલ્લામાં 16 કેસ, મહેસાણામાં 11 કેસ, સુરતમાં 10 કેસ, વલસાડમાં 7 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, નવસારીમાં 6 કેસ, રાજકોટ જિલ્લામાં ચાર કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 3 કેસ, વડોદરામાં 3 કેસ, અમદાવાદ જિલ્લામાં ર કેસ, આણંદમાં ર કેસ, ભરુચમાં ર કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ર કેસ, કચ્છમાં ર કેસ, પંચમહાલમાં ર કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ભાવનગરમાં એક કેસ, ગીર સોમનાથ જિલ્લામાં એક કેસ અને મોરબી જીલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. રવિવારે રાજયમાં કોરોનાથી કોઇ દર્દીનું મોત નિપજયું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.