Abtak Media Google News

લત્તાવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

મોરબીના સામાકાંઠે આવેલી સોસાયટીમાં પીવાના પાણીની લાઈન ના હોય જેથી આ મામલે આજે જીલ્લા કલેકટરને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે કે મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાઈપલાઈન આપવામાં આવી નથી જેથી સરકાર તરફથી પીવાના પાણીની પાઈપલાઈન આપવામાં આવે જે પીવાનું પાણી નગરપાલિકા વિસ્તારમાં આવે છે તેમાં અનુસુચિત જાતિના માણસો રહેતા હોય જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય જેથી લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરી છે આ વિસ્તારમાં
પછાતવર્ગ રહેતો હોય જેથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેથી આવેદન પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.