Abtak Media Google News

યુએલસીની 1300 ચો. મી. જમીન ઉપર ગેરેજ અને રેસ્ટોરન્ટનું દબાણ હટાવતા પશ્ચિમ મામલતદાર

રૈયા રોડ ઉપર રામદેવપીર ચોકમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બે મોટા બાંધકામો દૂર કરાવી પશ્ચિમ મામલતદાર દ્વારા રૂ. 10 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીસન કરીને 1,300 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે.આજરોજ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રામદેવપીર ચોકમાં આવેલા ફાયર સ્ટેશન પાસે રૈયા સર્વે નંબર 217 ના પ્લોટ નંબર 1125, 1126, 1131, 1132 ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા 2 કોમર્શિયલ બાંધકામ, 1 રેસ્ટોરન્ટ અને 1 ગેરેજનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજીત રૂ. 10 કરોડની બજાર કિંમત ધરાવતી 1300 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

Dsc 0111Dsc 0118Dsc 0109Dsc 0123

આ તકે મામલતદાર જાનકી પટેલે કહ્યું, રાજકોટ જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તેને તોડી પાડવામાં આવશે. ખાલી કરાયેલી સરકારી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવશે. આમ છતા, પણ જો કોઈ દબાણકર્તાઓ  ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિષ કરશે અથવા દબાણ કરશે તો તેમના વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે.  આ ડીમોલેશનની કામગીરીમાં મામલતદાર જાનકી પટેલ, સર્કલ ઓફિસર મહીરાજસિંહ ઝાલા, તલાટી મયુરભાઈ વઢવાણા અને શૈલેન્દ્રસિંહ રાણા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.