Abtak Media Google News

જૂની અદાવત ના કારણે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની જામીન ઉપર છૂટવાની અરજી અદાલતે મંજુર કરી છે. હવે દેવાયત ખવડને વધુ જેલવાસ નહિ ભોગવવો પડે, હાઈકોર્ટે લોક સાહિત્યકાર દેવાયતના જામીન મંજુર કર્યા છે.

Advertisement

6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાના આદેશ સાથે દેવાયત ખવડને મળ્યા જામીન
72 દિવસ જેલમાં રહ્યા બાદ દેવાયત ખવડનો જેલવાસ પૂર્ણ

> ગત સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ સહિતના આરોપીઓ દ્વારા મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

> એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipcની કલમ 307 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

શું હતો મામલો ??

શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. હાલ જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે ચાર્જશીટ બાદ જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોની જામીન અરજી નામંજૂર કરતો અગાઉ હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.