Abtak Media Google News

ધોરાજીમાં ધાચી સમાજના કબ્રસ્તાન પાસે યુવાને “ડાડાની કબર પાસેથી થાંભલો શુકામ કાઢ્યો” તેવું પૂછતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાનને ઝાડ સાથે બાંધીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

“ડાડાની કબર પાસેથી થાંભલો શુંકામ કાઢ્યો” તેવું પૂછતા યુવાન પર હુમલો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીમાં ચમાલીપા કુતુબશા બાવાની દરગાહ પાસે રહેતા સિકંદરભાઈ ગફારભાઇ સુમરા નામના 42 વર્ષીય યુવાને પોલીસ મથકમાં સલીમ ગફાર લુલાણીયા, ઇન્દ્રેશ ગફાર લુલાણીયા, રઝાક ઉર્ફે રજુ ચાગલી અને ફરુક ડુંગળી વાડા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ સિકંદરભાઈ કબ્રસ્તાન ગયા હતા ત્યારે ડાડાની કબર પાસે રહેલો થાંભલો સામેવાળા ચારેય શખ્સોએ કાઢી નાખ્યો હતો. જે બાબતે ચારેયને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સોએ ફરિયાદીને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.