Abtak Media Google News

ધોરાજી માર્કેટિંગ યાર્ડ પાસે બે બાઇક સામસામે અથડાતા પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

Advertisement

જામકંડોરણામાં ASI તરીકે ફરજ બજાવતા હતા

પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બે બાઇક સામસામે અથડાતા જામનગરના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી હતી. ઇન્દ્રસિંહ જેતપુરથી પરેડ પૂરીને જામકંડોરણા પોતાની બાઇક પર પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. ઇન્દ્રસિંહ જામકંડોરણામાં ASI તરીકે ફરજ બજાવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.