Abtak Media Google News

ગોંડલ જયસ્વાલ ન્યુઝ એજન્સીની મુલાકાતે આવેલા દેશના યુવા શ્રીમદ્ ભાગવત કથાકાર શ્રી કુ.દીપાલી દીદી પટેલે દિપ પ્રાગટય કરી જયસ્વાલ ન્યુઝને આર્શીવચન પાઠવેલ તેમજ જણાવેલ કે સુંદર કાર્યની મંગલ શ‚આત થઈ માટે સમગ્ર એજન્સીને શુભેચ્છા તેમજ પરમ કૃપાળુ પરમાત્મા આપને તેજ શકિત અને સત્વ અર્પણ કરે અને આપના વ્યવસાય થકી સમાજ ઉત્થાનના કાર્યોમાં પણ સહયોગી થતા રહો.

એવી મંગલભાવના પાઠવેલ તેમજ વિશેષમાં જણાવેલ જયસ્વાલ ન્યુઝમાં પ્રવેશ કરતાની સાથે સાત્વિક વાતાવરણ તેમજ જગ્યાના વાઈબ્રેશનના અનુભવો પરથી મહેસુસ થયું કે જરૂર આ જગ્યા પર સદગુરુઓનો પ્રતાપ છે તેમજ આશીષ છે.

તેમજ વાઈબ્રેશનના પ્રતાપે પોઝીટીવ તત્વને મળવાનું અને પુજન કરવાનું અમુલ્ય અવસર પ્રાપ્ત થયેલ છે. તેમજ આગામી શ્રીમદ્ ભાગવત કથાઓની માહિતી આપેલ હતી. તેમજ શ્રીમદ્ ભાગવત ગ્રંથમાંથી અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવેલ ત્યારે સમગ્ર ન્યુઝ એજન્સી શ્રીમદ ભાગવતમય બની ધન્યતા અનુભવેલ હતી. ઉપરોકત ધાર્મિક પ્રસંગે પત્રકાર ચંદ્રશેખર જયસ્વાલ, ગૌરાંગ મહેતા, નરેશ તન્ના, અર્જુન પીપળીયા તેમજ સંજય ચાવડા સહિતના પત્રકારો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.