Abtak Media Google News

મણિભદ્ર બિઝનેસ ગ્રુપ દ્વારા એકિઝબીશન કમ વ્યાખ્યાન યોજાયું; જીવદયા અને પ્રામાણિકતા વિષયે પૂ. યશોવિજય મ.સા.એ પ્રવચન આપ્યું

રાજકોટમાં મણિભદ્ર બિઝનેસ ગ્રુપ દ્વારા હોટેલ કોકા ખાતે બિઝનેસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં યશોવિજય મહારાજ દ્વારા સનિમાંથી સચીન તેંડુલકર, મુકેશમાંથી મુકેશ અંબાણી કેમ બનાવી અને પામર માથી પરમ બનવા જેવા વિષયો પર પ્રવચન આપ્યું છે તે ઉપરાંત જીવદયા અને પ્રમાણીકતા પર પણ પ્રવચન આપ્યું હતુ. યશોવિજયજી મહારાજે જણાવ્યું હતુ કે બિઝનેસમાં ટેકસ ચોરી ન કરવી જોઈએ, માલ-વસ્તુ ઓછી ન આપવી જોઈએ, ભગવાનનો ભાગ કાઢવો જોઈએ તેમજ ભેળ સેળ ન કરવી જોઈએ જેવા અનેક બિઝનેસ કરવાના સારા વિચારો આપી લોકોને પ્રેરણા આપી હતી. આ પ્રદર્શનમાં અલગ અલગ ૪૦ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા જેમાં કોસ્મેટીક, રેડીમેટ ગારર્મેટ, ઈમીટીશન જવેલરી, ખાધ પદાર્થ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં લોકો લાભ લીધો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.