Abtak Media Google News

જામનગરમાં 27 એનસીસી બટાલિયન ખાતે ઇલેક્ટીવ સબજેકટ (વૈકલ્પિક વિષય) તરીકે એનસીસીનાં અભ્યાસ અંગેની બેઠક તા.07/05/2021નાં રોજ યોજવામાં આવી હતી. આ બેઠકમાં 27 એનસીસી બટાલિયન, જામનગરનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજ બક્ષીને સંલગ્ન યુનિવર્સિટીઓમાં એનસીસીનાં વૈકલ્પિક વિષય તરીકે શરૂઆત અંગે એએનઓ (એસોસીએટ એનસીસી ઓફિસર) સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં એએનઓ દ્વારા વિદ્યાર્થીઓ પણ એનસીસીને વૈકલ્પિક વિષય તરીકે રાખવા ખૂબ જ તત્પર હોવાનું કમાંડીંગ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું. કર્નલ મનોજબક્ષીએ જણાવ્યું હતું કે, આ અગત્યની બાબતનો બહોળો પ્રસાર આવશ્યક છે કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ એનસીસીનાં આ કોર્સનો લાભ લઇ શકે. એએનઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક આ બાબતનો વધુમાં વધુ પ્રચાર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

નેશનલ એજ્યુકેશન પોલીસી-2020માં એનસીસી ‘બી’ અને ‘સી’ સર્ટીફીકેટનાં અભ્યાસક્રમની રૂપરેખા (ચોઇસ બેઇઝ્ડ ક્રેડિટ સિસ્ટમ) તરીકે તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આજ સુધી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરાતા વિષયો માત્રમાંથી પસંદગીનો વિકલ્પ હતો જ્યારે આ નવું માળખું વિદ્યાર્થીઓને વિષય પસંદગીની નવી તક આપશે. આ અભ્યાસક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરતા વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટસ આપવામાં આવશે. જે તેમને સંલગ્ન વિષયની ડિગ્રીની માન્યતા આપશે. આ પગલેં રાષ્ટ્ર નિર્માણના દ્રષ્ટિકોણથી આગવી અને દૂરંદશી પહેલ બની રહેશે. તેમ કર્નલ મનોજ બક્ષીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.