Abtak Media Google News

વઢવાણ, ધ્રાંગધ્રા સહિત અનેક તાલુકાઓમાં જન્માષ્ટમીના લોકોમેળાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર મેળા ની પૂર્વ તયારી એ સુરેન્દ્રનગર જીલ્લા માં મેળાના મેદાનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. ગત વર્ષ મા મેળા બંધ રાખવા મા અવિયો હતો સામાજિક જગડાઓ ના કારણે  ગત વર્ષે ઝાલાવાડ વાસીઓ ના મેળા ની મઝા બગડી હતી પરંતુ આ વરસે મેળા નું મેદાન આ વરસે નગરપાલિકા નું મેળા નું મેદાન ૨૯ લાખ મા સાતમ આઠમ ઉપર વહેચાઈ ગયું હોય તેવી લોકો મા ચર્ચા ફેલાઇ છે

સુરે્દ્રનગર થી અસરે ૫ કિમી દૂર વઢવાણ ગામ આવેલું છે ત્યાં પણ મેળા માટે નું મેદાન વઢવાણ નગરપાલિકા દ્વારા ફાળવી દેવામા અવિયું છે.વઢવાણનો મેળો આખા જીલ્લાનો પ્રકીયત મેળો ગણવામા આવે છે આજુ બાજુ ના અનેક ગામડાઓ ના લોકો વઢવાણ નો મેળો વધુ પસંદ કરે છે વઢવાણ મા રેઇલ વય ટેશન ની બાજુ મા રેઇલવાય ના મેદાન માજ મેળા નું આયોજન કરવા મા આવે છે.

ધ્રાગધ્રા શહેરનો લોકમેળા ગત વષેઁ બે કોમ વચ્ચેના વયમાનુષ્યના લીધે બંધ રહ્યો હતો. ધ્રાગધ્રા શહેરનો લોકમેળો ઝાલાવાડનો સુપ્રસીધ્ધ મેળો છે પરંતુ લોમેળાને છેલ્લા ચારેક વષઁથી ઝગડાનુ ગ્રહણ લાગ્યુ હતુ તેવામા આ વષેઁ સાતમ-આઠમના રોજ થનાર લોમેળાને તંત્ર દ્વારા પરમિશન આપવા સમયે ખુબજ ગલ્લા-તલ્લા કરાયા બાદ અંતે લોકમેળા પર મહોર લગાવી હતી જ્યારે જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા, ધ્રાગધ્રા ડે.કલેક્ટર-મામલતદાર તથા ડીવાયએસપીના સંકલનમા મેળાને મંજુરી અપાઇ હતી જેમા લોકમેળાને મંજુરી અપાવવામા મહત્વની ભુમિકા ધ્રાગધ્રાના પુવઁ ધારાસભ્ય આઇ.કે.જાડેજાની હોવાનુ મનાય છે.

તેઓ દ્વારા ધ્રાગધ્રા શહેરમા લોકમેળા દરમિયાન કોઇ અઇચ્છનિય બનાવ નહિ બને તેવી ખાતરી બાદ જ લોમેળાને તંત્ર દ્વારા મંજુરી અપાઇ હતી જ્યારે આ તરફ મેળાને મંજૂરી મળતા હવે લોકમેળામા લાગતા રાઇડ્સના પ્લોટોની હરરાજીનો સમય આવી ગયો હતો આ લોકમેળાનો પહેલો રાઉન્ડ જ કહી શકાય કારણ કે લોકમેળામા વેપાર કરતા લોકોની શરુવાત આજના આ દિવસથી થવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.