Abtak Media Google News

કપિલ શર્મા માટે વધુ એક ખરાબ સમાચાર સામે અાવ્યા છે. ચેનલ કપિલ શર્માનો શો અોફ એર કરવાનો છે. સોની ટીવીઅે તાજેતરમાં ‘પહેરેદાર પિયા કી’ શો અચાનક બંધ કરી દીધો છે અને સપ્ટેમ્બરના અંતમાં તે સુપરહિટ રિયાલિટી શો સુપર ડાન્સર-૨ લઈને અાવશે.

અા શો અોન એર થયા બાદ ચેનલ થોડા સમય માટે કપિલ શર્માનો શો બંધ કરી દેશે. ચેનલ શર્માને તેના શોમાં બદલાવ લાવવા અને પોતાની હેલ્થ ઠીક કરવાનો સમય અાપવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૮ વાગે ધ ડ્રામા કંપનીના બદલે સુપર ડાન્સર્સ અાવશે અને નવ વાગે ધ ડ્રામા કંપની ટેલિકાસ્ટ કરાશે. કપિલ સાજો થઈને પાછો અાવશે ત્યારે તેના શોનો ટાઈમ ૧૦ વાગ્યાનો કરવામાં અાવશે. છેલ્લા કેટલાક સમયથી કપિલ સેલિબ્રિટીઝ સાથે શોનું શૂટિંગ કેન્સલ કરવાને લઈને ચર્ચામાં છે. કપિલ શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, અર્જુન કપૂર, અનિલ કપૂર, અજય દેવગણ, પરેશ રાવલ સાથે શૂટ કેન્સલ કર્યું છે જેના કારણે ઘણા બધા સેલિબ્રિટી તેનાથી નારાજ પણ થયા છે.

કેટલાક લોકોનું કહેવું છે કે કપિલ બીમાર છે તો કેટલાક લોકો એમ પણ કહે છે કે કપિલ મોડી રાત સુધી પાર્ટી કરે છે જેના કારણે તે સવારે વહેલા ઊઠી શકતો નથી. એક સૂત્રઅે જણાવ્યું કે કપિલની તબિયત ખરેખર ખરાબ છે અને તેને સાજા થવામાં થોડો સમય લાગશે. ચેનલ કપિલને સાજા થવાનો સમય અાપે છે. ચેનલ ઇચ્છે છે કે કપિલ ઠીક થઈ જાય અને શોમાં મેજિક લાવે. શોમાં વધુ સારી કન્ટેન્ટ અાવે અને શો વધુ સારો બની શકે તે માટે અા સમય અાપવામાં અાવી રહ્યો છે. કપિલ સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે સોને અલગ રીતે રજૂ કરવામાં અમારે પહેલેથી જ સમયની જરૂર હતી. અા બહાને અમને પણ સમય મળી ગયો.

ધ ડ્રામા કંપની અેક નિશ્ચિત સમય માટે છે અને જો તેની સિઝન-૨ નહીં અાવે તો કપિલના શોને ૧૦ વાગ્યાનો સમય મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.