Abtak Media Google News

દારૂ વેચવાની ના પાડતા યુવાનનું છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું’તુ

નવા થોરાળામાં પાણીની કુઈ પાસે ગોકુળપરા ૫માં નામચીન શખ્સની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર પાંચ શખ્સોની થોરાળા પોલીસે ધરપકડ કરી છે.

હત્યાના બનાવ અંગે નવા થોરાળા ગોકુલપરા ૨માં રહેતા જયોત્સનાબેન ધર્મેશ ચાવડા ઉ.૩૪ની ફરિયાદ પરથી પાંચ શખ્સો સામે થોરાળા પોલીસે ગુનો નોંધ્યો હતો. જયારે સામા પક્ષે આરોપી મૌલીક પરમારે પણ ધર્મેશ દારૂ પી પોતાની પાસે પૈસા માંગી માથાકૂટ કરતો હોવાના અરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી.

હત્યાના ગુનામાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયાની ટીમે ગોકુલપરાનાં નરેશ ખોડા દવેરા, વિનોદનગરા ભીખા ઉર્ફે ભરત ચકુ ચાવડા, વિનોદ નગરના રસીક ચકુ ચાવડા, નવા થોરાળાના મૌલીક સંજય પરમાર, સત્યમ પાર્ક સોસાયટીના રતનસિંહ ઉર્ફે રતા મેઘજી પરમારની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.