Abtak Media Google News

શહેરના ગંજીવાડા નજીક નદીનાં કોઝવે પરથી ડુબી રહેલાં બે યુવાનોને બચાવવાં નદીમાં કુદેલા અન્ય ત્રણ યુવાનો પણ પાણીનાં વહેણમાં તણાયાં બાદ ત્રણેયનો આબાદ બચાવ થવાં પામ્યો હતો. જ્યારે ડુબી રહેલાં બન્ને યુવાનો ધસમસતા પ્રવાહમાં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં આંબેડકર નગર માં રહેતાં પ્રદીપ ગિરીશભાઈ વાણીયા ઉ.૧૭ તથાં અમદાવાદથી આવેલાં તેનાં મિત્રો દેવ નિતીનભાઈ શુકલા (ઉ.૨૧) તથા કનીશ પરમાર (ઉ.૧૭) બપોરનાં સુમારે ગંજીવાડા પાસે મેલડીમાતાનાં મંદીર નજીક મિત્રનાં ફાર્મહાઉસે આવ્યાં હતાં. બાજુમાં જ ગોંડલીનદી વહેતી હોય ભારે વરસાદને કારણે નદીમાં પુર આવ્યાં હતાં. નદી પર આવેલ કોઝવે પર થી પાણી વહ્યાં હતાં.આ વેળા કોઝવે પર બાઇક સાથે બે અજાણ્યા યુવાનો પસાર થતી વેળા ધસમસતા પ્રવાહ માં તણાંતા દેવ શુકલા, પ્રદીપ અને કનીશ તેને બચાવવાં નદીમાં કુદી પડયાં હતાં. પણ પાણીનો તિવ્ર પ્રવાહ હોય પાંચેય યુવાનો ડુબવા લાગ્યાં હતાં.

દરમ્યાન દેવ શુકલા ને તરતાં આવડતું હોય મહામુસીબતે તેણે પ્રદીપ અને કનીશ નાં હાથ પકડી ડુબતાં બચાવી લેતાં આ ત્રણેય મિત્રો નો બચાવ થવાં પામ્યો હતો.જ્યારે ડુબી રહેલાં બન્ને અજાણ્યા યુવાનો પાણી માં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં ફાયર સ્ટાફ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ફાયર કમીટી ચેરમેન ગૌતમ સિંધવ સહીત દોડી આવી પાણી માં લાપતા બનેલાં યુવાનો ની શોધ ખોળ શરું કરી હતી.આ લખાય છે ત્યારે તરવૈયાઓ દ્વારા શોધ ચાલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.