Abtak Media Google News

Table of Contents

માતૃભાષામાં શિક્ષણની સાથે પાયાના શિક્ષણથી જ  અંગ્રેજીનો મહાવરો અપાશે:  શિક્ષણ આવૃત્તિ સાથે શિક્ષકોને  પણ તાલિમબધ્ધ કરાયા: નવી શિક્ષણ નીતિના પ્રથમ પાંચ વર્ષના તબકકાનું આયોજન

આ વર્ષે  પ્રવેશ પામેલ ધો.1ના છાત્રો માટે શાળા તત્પરતા અંતર્ગત પ્રવૃત્તિ પોથી બહાર પડાય: નિપુણ ભારત અન્વયે   2026-27 સુધીમાં ધો.3 સુધીના તમામ બાળકો વાંચન-લેખન અને ગણનમાં ક્ષમતા સિધ્ધ કરે તેવો લક્ષ્યાંક

બાલ વાટિકા વર્ગ માટે પણ વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી બહાર પડી: સ્વાસ્થ્ય સાથે અનુબંધિત પર્યાવરણ ભાષા અને  ગણિત જેવા મુખ્ય ત્રણ વિષય આધારીત પ્રવૃત્તિ દ્વારા જે તેને  શિક્ષણ અપાશે: કોઈ વિષયને સીમાઓમાં રાખીને શીખવવાનો નથી, પણ બાળક જાતે  પ્રવૃત્તિ કરીને ભણતો થશે

માતૃભાષામાં શિક્ષણની  વાત સાથે સૌ  સહમત હોય, પણ અંગ્રેજી શિક્ષણની આજના  યુગમાં જરૂરીયાત એટલી જ છે. આ વર્ષે જુન 2023 રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી તેના  પ્રથમ પાંચ વર્ષના તબકકામાં ધો.1-2 સાથે બાળવાટીકાના પાયાના ત્રણ વષનો સમાવેશ કરતાં પ્રારંભીક  બાળ શિક્ષણ અને સંભાળમાં ઘણા સુધારા અને પ્રવૃત્તિપોથી જેવા ઘણા સુધારા નવા સત્રથી જોવા મળી રહ્યા છે. નિપુણ ભારત પ્રોજેકટ અન્વયે  2026-27 સુધીમાં દરેક બાળક વાંચન-ગણન લેખનનીક્ષમતા સિધ્ધ કરે તેવો લક્ષ્યાંક રાખેલ છે.આ વર્ષે  6 વર્ષ પૂર્ણ  થયા હશ તેને જ ધો.1માં પ્રવેશ અપાતા બાકી રહેલા વય કક્ષામા ન આવતા બાળકો માટે ‘બાલ વાટિકા’ના વર્ગો શરૂ કરાયા છે, ૈઅને તેના માટે કલરફૂલ પ્રવૃત્તિપોથી પર પ્રકાશીત કરેલ છે. શિક્ષક આવૃત્તિ પણ બહાર પડી છે. નવા પ્રવેશ પામેલા બાળકો માટે  શાળા તત્પરતા  કાર્યક્રમ અન્વયે પ્રવૃત્તિપોથી ધો.1 માટે  પ્રકાશીત કરી છે,જેમાં પ્રથમ અને   બીજા સત્રની   એમ ે બુક પ્રકાશીત કરી છે. સમગ્ર  માળખુ જીસીઈઆરટી દ્વારા   તૈયાર કરાયું છે.

નવી શિક્ષણ નીતિ 2020માં  5+3+3+4 શૈક્ષણિક માળખાની જોગવાઈ કરાય છે.સાથે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાની વાત છે ત્યારે  અન્ય ભાષા અંગ્રેજી અને હિન્દીને  પણ વય-કક્ષા મુજબ જોડવામાં આવશે. પ્રથમ પાંચ વર્ષના તબકકામાં  પૂર્વ પ્રાથમિક શિક્ષણના ત્રણ વર્ષ અને ધો.1-2ના બે વષ મર્ળીને  પ્રથમ તબકકો ગણાશે. ધો.3 થી 5ના ચાર વર્ષ માધ્યમિક શિક્ષણ ગણાશે. ત્રણ વર્ષથી ઉપરના  બાળખો માટે પાયાના બે વર્ષ આંગણવાડી પૂર્વ પ્રાથમિક કે બાલ મંદિર જેવા ગણાશે. સાવ સરળરીતે સમજીએ તો 5 વર્ષ સ્નેહઆધારીત,  7 વર્ષ ક્રિયા, 3 વષ યોગ અને  4 વર્ષ કર્મ આધારીત શિક્ષણ અપાશે. પ્રારંભીક શિક્ષણ કે પાયાના શિક્ષણમાં વાંચન-ગણન અને   લેખન કૌશલ્યોની ક્ષમતા સિધ્ધીપર વિશેષ ભાર મૂકાશે.

ગુજરાત શૈક્ષણિક  સંશોધન અને તાલિમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા તાજેતરમાં   સેક્ધઠડ લેગ્વેંજ અંગ્રેજીની ધો.1-2-3 માટે અજમાયશી ધોરણે શિક્ષક આવૃત્તિ બહાર પાડી છે. જેમાં બાળકને કેવી રીતે શિક્ષણ આવવું તેની સંપૂર્ણ વિગો આપવામાં આવી છે. આ માસના અંત સુધીમાં તેના માસ્ટર ટ્રેનરો અને ધો.1-2-3ના શિક્ષકોને તબકકા વાઈઝ  તાલિમ બધ્ધ કરાશે. ધો.1-2ના વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. બાળખોને એબીસીડી લખવી બહુ જ ગમતી હોય છે. તો રૂચીને ધ્યાને  લઈને તે જોવે બોલે જાણે તે અગત્યનું  હોવાથી આ બેકૌશલ્યો સિધ્ધ કરાવાશે.ધો.3 થી લેખન કૌશલ્યો શીખવવાની  પ્રક્રિયા શરૂ કરાશે. કેટલાક શિક્ષકો પ્રથમવાર અંગ્રેજી  ભણાવવાનું  આવે તેવા સંજોગોમાં આ ટીચર હેન્ડબુક ખુબજ મદદરૂપ થનાર છે.

ભાષા શિક્ષણના ચાર મુખ્ય કૌશલ્યોમાં શ્રવણ-કથન-વાંચન અને લેખન દરેક બાળખ તબકકાવાર ક્ષમતા સિધ્ધી મેળવે તે જરૂરી છે. પ્રારંભના  બે કૌશલ્યો ધો.1-2 માટે અને લેખન કૌશલ્ય ધો.3 માટે સુચવાયા છે. આજના યુગમાં  માતૃભાષમાં શિક્ષણ મળવું જ જોઈએ એવા તારણ સાચી છે. પણ અંગ્રેજી -હિન્દી જેવી અધર લેંગવેંજમાં દરેક બાળક શ્રવણ કથન, વાંચન અને લેખન જેવા ભાષા શિક્ષણના કૌશલ્યો  નો વિકાસ થાયતોજ તેનો સર્વાંગી વિકાસ શકય બને છે. ન્યુ એજન્યુકેશન પોલીસીમાં આવા તમામ પાસાઓને ધ્યાને  રાખીને માઈક્રોપ્લાનીંગ આયોજન કરાયું છે.  નાના બાળખોને માત્ર  શ્રવણ કથન કરવાનું હોવાથી તેમને કો, ભાર લાગતો નથી આ સિસ્ટમમાં બાળક હસતા  રમતા પણ માતૃભાષા સાથે જ અંગ્રેજી પણ શિખતો જશે.

જુન  2023ના નવા શૈક્ષણીક  સત્રથી  ટબુકડા બાળકો પણ પ્રેયર સ્ટોરી, એકશન, સોંગ, ગેઈમ્સ અને એકટીવીટી દ્વારા સરળતાથી અંગ્રેજી  ભાષાનો પરિચય મેળવશે.શિક્ષક આ વૃત્તિમાં શ્રવણનો મહાવરો બાળકોને  વધુમાં વધુ મળે તેવી પ્રવૃત્તિઓ  પણ આપેલી છે,આ એકટીવીટી ભાષા શિખવવાના  મહાવરા વધતા તેને  સરળતા રહેશે. વિદ્યાર્થી એબીસીડી લખે કે બોલે કે અંગ્રેજી   શબ્દો વાકયો બોલે કે લખવા લાગે તેવો કોઈ આ શિક્ષણમાં નથી. આ આયોજન ભાષા શિખવાના   પ્રથમ પગથીયા સમા શ્રવણ  વધુને વધુ કરે તેવો શુભ હેતુ છે.

આ શિક્ષક  આવૃત્તિ વર્ગ પુરતુ જ સિમિત ન રહેતા તેને બીજા વાતાવરણમાં  પણ ભાષાનો આનંદ કરાવે છે.ધો.1માં આપણુ લક્ષ્ય   લેંગવેજ એકયુશેસન પર છે. યબુકડુ બાળખ સાંભળતા સાંભળતા જ સમજવા લાગે અને પછી બોલવા માંડે તે એક  ફીઝક્ષયોલીગેસીક સીસ્યમનો એકભાગ છે. લીસનીંગ અને સ્પીકીંગ દ્વારા લેંગવેજ એકવીશન થાય છે. તેથી જ આ તબકકે અંગ્રેજી મુળાક્ષરો શીખવતા નથી. અનુવાદ પધ્ધતિથી કદી ભાષા શીખવી શકાય નહીં પણ આપણા ભૂતકાળના અનુભવો  આ માટે આપણને તે  તરફ દોરવા પ્રયાસ કરે છે.

શિક્ષકે   સ્થિરતા  અને ધીરજ રાખીને અનુવાદ પધ્ધતિનો ઉપયોગ ટાળવો.વ્યાકરણ  આધીન  ભાષા શીખવવાનો પ્રયાસ એ  શીખવાની અને  શિખવવાની  પ્રવૃત્તિને  નીરસ કરે છે, માટે તેને શિક્ષકે ટાળવું . વ્યાપકરણની લાંબી સમજ આપવી નહી કે ગોખાવવી નહી જ. શિક્ષક આ વૃત્તિમાં જે પ્રવૃત્તિનો  સહારો લીધો છે.તે મુજબ યોગ્ય સમજીને બાળક  પાસે કરાવવી જેમકે એકશન સોંગ અને પ્રેયરનો  હેતુ એ છે કે બાળક શબ્દ બોલતો થાય. નાનુ બાળક પ્રાર્થના  સમજી ને તેનું ગાન  કરે છે. આજ રીતે ધીમે ધીમે તેની સમજનો વિકાસ થાય છે.કોઈપણ દેશના વિકાસમાં તેના શિક્ષણનો ફાળો વિશેષ હોય છે. આપણા દેશમાં  6 થી  14 વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ છે. શિક્ષણનું માધ્યમતો માતૃભાષા જ  હોવી જોઈએ પણ સાથે અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ એટલું જ  જરૂરી છે. આજના યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વિગેરે ક્ષેત્રમાં ભાષા અંગ્રેજી આવે છે. ગુજરાતીમાં જેટલી ભાષામાં  માહિતી જેટલી સરળ નથી તેટલી  અંગ્રેજીમાં તમામ માહિતી સર્ચ કરવાથી મળી જાય છે.

આજના યુગમાં ગણીત વિજ્ઞાન અંગ્રેજી જ્ઞાન સાથે   કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે. આ ભાષાના  મહત્વના   આધારે જ  40 કરોડથી વધુ લોકો તેની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી બોલે છે.નાનુ બાળકમાં ઘરમાં હોય ત્યારે પણ મા-બાપ ભાઈ બહેન પરિવાર ટી.વી.મોબાઈલ, સીમકાર્ડ, રીમોર્ટ, ચેનલ, બુક, બાઈક, સ્કુલ બેગ,  પીકનીક, અંકલ જેવા ઘણા શબ્દો બોલતા હોવાથી તેને સતત મહાવરો મળતા તે પણ બોલવા લાગે છે. એક વાત બાળકને લખતા વાંચતા કે શાળાએન જતુ હોવા છતાં બોલચાલની ભાષા પ્રથમ જ આવડી જાય છે. તેથી હિન્દી ભાષીના બાળકો હિન્દીમાં વાત કરે છે. કોઈભાષા શિક્ષણમાં લેંગ્વેંજ  ગેઈમ્સની મહત્વની ભૂમિકા છષ. કેટલીકવાર ઔપચારીક શિક્ષણ એકધારૂ (ઓટોનોમસ) અને  કંટાળાજનક હોય ે, તેથી બાળકને વધુને વધુ પ્રવૃત્તિઓ કરાવવાથી શિખવાની પ્રક્રીયા એકધારી ન રહેતા રસપ્રદ બને છે.શિક્ષણમાં  બાળકના રસ રૂચી   વલણોને ધ્યાને   લઈને  વય-કક્ષા મુજબ ક્ષમતા  સિધ્ધ કરાવવી અતી આવશ્યક છે.

ધો.1માં વર્ષાન્તે  મૂલ્યાંકન વખતે લેખીત કે ઔપચારિક ટેસ્ટ લેવાની જ નથી કારણકે આપણે આખુ વર્ષ શ્રવણ અને કથનનો મહાવરો જ કર્યો છે. વિદ્યાર્થીની સમજ અને કથનના આધશરે મૂલ્યાંકન કરવું પડે. મૂલ્યાંકન  એ સતત ચાલતી પ્રક્રિયા છે. જે સર્વગ્રાહી હોવી જરૂરી છે. આ શિક્ષણ  આ વૃત્તિમાં  આપેલ એકમો, પ્રવૃત્તિમાં વાતચીત વાર્તાકથન,   પ્રશ્ર્નોતરી, ચિત્ર વર્ણન, રમતો,નાટયીકરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ વખતે   મૂલ્યાંકનની તકો મળે છે.ભાષા રમતોથી અર્થપૂર્ણ પરિસ્થિતિ પેદા થાય અને અંગ્રેજીમાં વાતચીતને પ્રોત્સાહન મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.